Si Ad Code 6
આંખની સમસ્યાઓ ઘણાને થતી રહે છે, અને લોકો એનાથી ખૂબ જ પરેશાન હોય છે પરંતુ શું એવો કોઈ ઉપાય છે કરો જેનાથી આંખની રોશની વધી શકે? જી હા એવા ઘણા ઉપાયો છે પરંતુ આજે અમે એવા ઉપાય વિશે વાત કરવાના છીએ.
એક હેલ્થ વેબસાઇટ અનુસાર આંખની રોશની તેજ કરવા આ ઉપાય ખૂબ કારગર સાબિત થયો છે…
આ ઉપાય કરવા માટે જરૂરી સામગ્રી
- કાળા મરચા 50 ગ્રામ
- સાકર 200 ગ્રામ
- ગાયનું ઘી 250 ગ્રામ
યાદ રહે કે જે માત્ર ગાયનું જ હોવું જોઈએ, અને એ પણ દેશી ગાયના દૂધમાંથી બનેલું હોવું જોઈએ.
બનાવવાની રીત
સૌપ્રથમ કાળા મરચા અને સાકરને અલગ-અલગ ભૂકો કરીને બારીક ચુર્ણ તૈયાર કરી લો. જો બંનેને એકસાથે ભૂકો કરશો તો કાળા મરચાનો બારીક ભૂકો થતો નથી. ત્યાર પછી ગઈ નાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી એ સંપૂર્ણપણે પીગળી ન જાય, બહુ વધારે ગરમ કરવું નહીં માત્ર સંપૂર્ણ પણે પીગળી જાય એટલે લઈ લેવાનું છે. ગેસ પરથી ઘી ઉતાર્યા પછી તેમાં તૈયાર કરેલું ચૂર્ણ નાખી દો, અને તેને એક સાફ બરણીમાં ભરીને રાખી દો. આંખની રોશની વધારવા નો નુશખો તૈયાર છે.
લેવાની રીત
બાર વર્ષથી નાના બાળકો માટે રોજ અડધી ચમચી સવારે અને રાત્રે ગાયના દૂધ સાથે આપો. ૧૨ વર્ષથી મોટા લોકો માટે સવારે અને રાતના સમયે ગાયના દૂધ સાથે એક એક ચમચીની માત્રામાં તેનું સેવન કરો.
સમય ગાળો
આ નુસખાને સેવન કરવાનો સમય ગાળો આઠથી બાર મહિના સુધીનો હોય છે. આની સાથે જોબ આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ સપ્તામૃત લૌહ ની એક એક ગોળી સવાર સાંજ એ લેવામાં આવે તો ઘણો લાભ આપે છે.
Android Application | Helo Application | Donate Need Your Help
How To Get Driving Licence In Gujarat
How To Convert Your APL Card Into BPL Card
Si Ad Code 7
Si Ad Code 4
0 Comments